માત્ર ૪ તલાટી અને ૧ ક્લાર્કના ભરોસે ચાલતી કચેરી નિયમિત મામલતદાર સહિત ક્લાર્ક, તલાટીઓની ખાલી જગ્યાઓને લીધે સરકારી કામગીરી ખોરંભે
મુળી તાલુકાની મામલતદાર કચેરી હાલ સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. સરકાર દ્વારા મંજૂર થયેલા મહેકમ મુજબ પૂરતા કર્મચારીઓ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કચેરીમાં ચાર રેવન્યુ ક્લાર્કની જગ્યા સામે માત્ર એક જ ક્લાર્ક ફરજ બજાવે છે, જ્યારે ૧૧ રેવન્યુ તલાટીની જગ્યા સામે માત્ર ૪ તલાટીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા નિયમિત મામલતદારની ગેરહાજરી છે, જેના કારણે વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે.
ખાસ કરીને ખેડૂતોને સાત-બારની નોંધો પડાવવા અને ગરીબ વર્ગના લોકોને રેશનિંગના કામો માટે કચેરીના અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્ટાફની આ ઘટને કારણે સરકારી યોજનાઓનો લાભ સમયસર મળતો નથી. આ ગંભીર પ્રશ્ને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે મહેકમ મુજબના ક્લાર્ક, તલાટી અને કાયમી મામલતદારની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સ્ટાફ નહીં ભરાય તો આગામી સમયમાં લોકોનો રોષ વધુ વકરે તેવી શક્યતા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…