સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લીંબડી નજીક વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.
કચ્છ જિલ્લાના આદિપુર ગામના વત્ની અશોકભાઈ ક્રિપાલદાસ ચોટાઈ (ઉ.વ.70) લીંબડી પાસેની એક ખાનગી હોટલની બહાર ઉભા હતા, તે દરમિયાન એક ખાનગી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું ટાયર વૃદ્ધના શરીર પર ફરી વળ્યું હતું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશોકભાઈને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. લીંબડી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…