Subscribe for notification
Categories: Surendranagar

વઢવાણ હવા મહેલ ખાતે ‘મિલેટ મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ: હુડો અને પઢાર નૃત્યની જામી રમઝટ

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવના પ્રથમ દિવસે ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને આધુનિક વ્યવસ્થાપનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાત્રે 8 થી 10 દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાકારોએ પોતાની કળા પીરસીને ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. રોશનીથી ઝળહળતા હવા મહેલના પટાંગણમાં લોકકલાના વિવિધ સ્વરૂપો જીવંત થયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ‘હુડો રાસ’ની ધૂમ મચાવી હતી. ત્યારબાદ કલાકારોએ અત્યંત જટિલ ગણાતું ‘ગોફ-ગૂંથણ’ નૃત્ય રજૂ કર્યું હતું, જેમાં દોરીની ગૂંથણી અને તેને ઉકેલવાની કળાએ સૌના દિલ જીતી લીધા હતા. મહોત્સવનું મુખ્ય આકર્ષણ નળકાંઠાના રામભાઈ પોપટભાઈ પઢાર અને સાથી કલાકારો દ્વારા રજૂ કરાયેલું વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ રહ્યું હતું. મંજીરાના તાલે રજૂ થયેલા આ નૃત્યએ પ્રેક્ષકોને ગ્રામીણ સંસ્કૃતિની ઝલક કરાવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મુલાકાતીઓએ મિલેટ્સ (શ્રી ધાન્ય) માંથી બનેલી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વાદિષ્ટ આહારનો આનંદ માણ્યો હતો. બાળકો માટે બનાવવામાં આવેલો સ્પેશિયલ પ્લે એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મહોત્સવના બીજા દિવસે આજે લોકસાહિત્યના કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાની શક્યતા છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago