લખતર તાલુકાના તલસાણા ગામેથી ગત 27 જાન્યુઆરી 2026 ના રોજ એક 19 વર્ષીય મૂક-બધિર યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. આ મામલે પરિવારે લખતર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સોર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૂક-બધિર શાળાઓ અને સંસ્થાઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીએ ચોટીલા તાલુકાના ચિરોડા (ઠાંગા) ગામના શૈલેષ રૂડાભાઈ ઓતરાદી સાથે લગ્ન કરી લીધા છે. નોંધનીય છે કે, શૈલેષ અને યુવતી અગાઉ ડી.એસ. પારેખ મૂંગા-બહેરા શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. લખતર પોલીસે યુવતીને તેના પતિ સાથે શોધી કાઢી હતી અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી દીકરીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…