Subscribe for notification
Categories: Surendranagar

ધ્રાંગધ્રામાં જગન્નાથપુરીની યાત્રાના બહાના અમદાવાદના ટૂર સંચાલકે 50 લોકો સાથે છેતરપિંડી કરી

અમદાવાદના એક ટ્રાવેલ સંચાલક દ્વારા જગન્નાથપુરીની યાત્રા કરાવવાના બહાને મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રાના 50થી વધુ લોકો આ સ્કીમનો ભોગ બન્યા છે, જેમની પાસેથી એડવાન્સ પેટે 2,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

દર્પણ ટ્રાવેલ્સના સંચાલક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાએ ડિસેમ્બર મહિનામાં આ ટૂર માટે બુકિંગ શરૂ કર્યું હતું અને જાન્યુઆરીમાં યાત્રા ઉપડવાની જાહેરાત કરી હતી. જોકે, નિર્ધારિત સમય વીતી ગયા બાદ પણ યાત્રાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહોતું.

જ્યારે શ્રદ્ધાળુઓએ સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ છેતરપિંડી માત્ર ધ્રાંગધ્રા પૂરતી સીમિત નથી, પરંતુ અમદાવાદ અને સુરતના અનેક લોકો પણ આ ઠગાઈનો શિકાર બન્યા છે.

ભોગ બનનાર યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સસ્તામાં યાત્રા કરાવવાની લાલચ આપી લોકો પાસેથી નાણાં ખંખેરી લેવામાં આવ્યા છે. હાલમાં આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે અને ધ્રાંગધ્રાના અસરગ્રસ્તો દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago