ધ્રાંગધ્રા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આજથી સત્તાવાર રીતે વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હવે વહીવટદાર તરીકે નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. આ ફેરફાર સાથે જ તમામ નગરસેવકોના હોદ્દા, સત્તા અને મળતી સરકારી સુવિધાઓનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 35 અને કોંગ્રેસ પાસે માત્ર 1 બેઠકનું સંખ્યાબળ હતું. 15 માર્ચે ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદારના શાસન હેઠળ માત્ર રોજિંદા અને સામાન્ય વહીવટી નિર્ણયો જ લેવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે, ત્યાં સુધી એટલે કે આશરે દોઢ મહિના સુધી પાલિકાનો વહીવટ પ્રાંત અધિકારીના હસ્તક રહેશે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…