સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મુળી અને ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા અને તળાવોના તળિયા દેખાવા લાગતા જનજીવન પ્રભાવિત થયું છે. ગઢડા, ખંપાળિયા, કુંતલપુર અને વડધ્રા જેવા ગામોમાં પીવાના પાણીની સાથે પશુઓ માટે પણ પાણીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. કુંતલપુર જેવા ગામોમાં તો લોકોને પાણી વેચાતું લેવાની નોબત આવી છે.
બીજી તરફ, ચોટીલાના જસાપર અને નાનીયાણી વિસ્તારમાં પાણી અને ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ માલ-ઢોર સાથે હિજરત શરૂ કરી દીધી છે. વર્ષ 2025માં મુખ્યમંત્રી દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે નર્મદા આધારિત સુજલામ સુફલામ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી હજુ સુધી લોકોને રાહત મળી નથી. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડે અથવા ખાલી થયેલા તળાવો ભરવાની વ્યવસ્થા કરે જેથી ગામડાઓ ખાલી થતા અટકે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…