ધ્રાંગધ્રા પંથકમાં શિયાળુ પાકની મોસમ પૂર્ણતાના આરે છે ત્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની ધૂમ આવક શરૂ થઈ છે. હાલમાં યાર્ડમાં દરરોજ 20,000 મણ જીરાની આવક નોંધાઈ રહી છે, જેના કારણે યાર્ડ પરિસર ખેડૂતોના વાહનોથી ઉભરાઈ ગયું છે.
બજારમાં નવા જીરાના ભાવ 20 કિલો (1 મણ) દીઠ રૂ. 4100 બોલાતા વેપારીઓ દ્વારા મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે. ટ્રેક્ટર, ટેમ્પા અને ટ્રક ભરીને આવતા માલને કારણે વેપારી મથકો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
જોકે, વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલને કારણે બજારમાં તેજી-મંદી અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વેપારી જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હાલ ભાવ સ્થિર છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્થિતિને જોતા ચોક્કસ અનુમાન લગાવવું મુશ્કેલ છે. ખેડૂત પ્રતિનિધિઓ ભરતભાઈ અને પ્રેમજીભાઈએ જણાવ્યું કે 4100ના ભાવથી હાલ ખેડૂતોને રાહત મળી છે, પરંતુ ક્યાંક વૈશ્વિક મંદીનો ડર પણ સતાવી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…