થાનગઢ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને રાજાશાહી સમયનું ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની ફોરેસ્ટ ઓફિસ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.
લાંબા સમયથી જાળવણીના અભાવે આ ઓફિસના બારી-બારણા તૂટી ગયા છે અને મુખ્ય દરવાજો ગાયબ થતા આ સ્થળ અસામાજિક તત્વો અને ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આસપાસના રહીશોની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરવાજો ન હોવાથી લોકો અહીં કચરો અને મૃત પશુઓ ફેંકી જાય છે, જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
જોકે, આરએફઓ રાજાનીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ જર્જરિત ઓફિસની સફાઈ કરાવીને મુખ્ય દરવાજાને તાળું મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…