થાનગઢ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને રાજાશાહી સમયનું ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની ફોરેસ્ટ ઓફિસ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.
લાંબા સમયથી જાળવણીના અભાવે આ ઓફિસના બારી-બારણા તૂટી ગયા છે અને મુખ્ય દરવાજો ગાયબ થતા આ સ્થળ અસામાજિક તત્વો અને ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આસપાસના રહીશોની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરવાજો ન હોવાથી લોકો અહીં કચરો અને મૃત પશુઓ ફેંકી જાય છે, જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
જોકે, આરએફઓ રાજાનીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ જર્જરિત ઓફિસની સફાઈ કરાવીને મુખ્ય દરવાજાને તાળું મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…