સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષના કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, જયકિશન મનજીભાઈ મકવાણા નામનો કિશોર ગરમીથી રાહત મેળવવા માટે ગામના તળાવમાં નાહવા ગયો હતો. તેને તરતા આવડતું ન હોવા છતાં તે પાણીમાં ઉતર્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારમાં કલ્પાંત મચી ગયો છે અને સમગ્ર ચચાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસને જાણ કરવામાં આવતા ચુડા PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની આર.આર. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા કેનાલ અને તળાવોમાં ડૂબી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે આ વધુ એક ઘટનાએ તંત્ર અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…