Chuda

ચુડાઃ ભાણેજડા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત 20 ટીમોનું મેગા વીજ ચેકિંગ, લાખોનો દંડ

સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ ચોરી ડામવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચુડા તાલુકાના ભાણેજડા ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત વીજ વિભાગની 20 જેટલી ટીમો એકસાથે ત્રાટકી હતી.

જિલ્લાભરમાં કુલ 39 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાંથી અડધાથી વધુ ટીમો માત્ર ભાણેજડા ગામમાં ઉતારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો.

ભાણેજડા ગામમાં કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કુલ 189 વીજ જોડાણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં 32 જેટલા કનેક્શનમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાતા તંત્ર દ્વારા કુલ 14.72 લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.

માત્ર ભાણેજડા જ નહીં, પરંતુ આસપાસના કોરડા ગામમાં પણ વીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. કોરડામાં ઘરવપરાશના 156 અને વાણિજ્ય હેતુના 5 જોડાણો તપાસતા 19 સ્થળોએ ચોરી પકડાઈ હતી, જ્યાં 12.20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, જિલ્લાના ભાડલા, હડાળા, દેવપરા અને ચુડા વિસ્તારમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીના આંકડા જોઈએ તો, વીજ વિભાગે કુલ 664 એકમોનું ચેકિંગ કર્યું હતું. જેમાંથી 101 વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી.

આ તમામ કિસ્સાઓમાં કુલ 45.12 લાખ રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલની આ આક્રમક કામગીરીને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

1 hour ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

4 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

5 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

5 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

5 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

5 hours ago