સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરની અદાલતે કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ એક શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. થાનમાં રહેતા 30 વર્ષીય રાહુલભાઈ કનુભાઈ પારઘી નામના શખ્સને વર્ષ 2024 માં સુરેન્દ્રનગર અને તેની આજુબાજુના જિલ્લાઓમાંથી હદપાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
જોકે, આ શખ્સે સરકારી હુકમની ઐસીતૈસી કરીને સતત બીજી વખત પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો, જેના આધારે થાન પોલીસે તેની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. આ કેસ થાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, કોર્ટે હદપારીના હુકમનો અનાદર કરવા બદલ રાહુલ પારઘીને દોષિત ઠેરવ્યો છે.
કોર્ટે કડક વલણ અપનાવતા આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને 1,000 રૂપિયાનો રોકડ દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. પોલીસ દ્વારા અગાઉના કેસની વિગતો અને પુરાવાઓ કોર્ટ સમક્ષ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે હુકમનો ભંગ કરનાર આરોપીને જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…