Subscribe for notification
Categories: Chotila

ચોટીલા: બે સંતાનોની માતાને યુવક સાથે મૈત્રી કરાર કરવો ભારે પડ્યો, મારી નાખવાની ધમકી

ચોટીલા તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધ અને મૈત્રી કરારના મામલે પરિણીતા પર હુમલાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ ગામમાં ખેતીકામ કરતા પરિવારની મહિલાના લગ્ન 10 વર્ષ અગાઉ થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે.

અંદાજે 3 વર્ષ પહેલા પરિણીતાને પોતાના જ ગામના વિજય છગનભાઈ જોગરાજીયા નામના યુવક સાથે પરિચય થયો હતો, જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. આશરે 6 માસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા અને કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા.

જોકે, પોતાના બે પુત્રોનું ભવિષ્ય અને સમાજના વડીલોની સમજાવટને ધ્યાને રાખીને પરિણીતાએ આ મૈત્રી કરાર રદ કરવાનો નિર્ણય લીધો હતો. તે વિજય સાથેનો સંબંધ તોડીને ફરી પોતાના પતિ અને બાળકો સાથે રહેવા પરત આવી ગઈ હતી.

આ નિર્ણય વિજયને મંજૂર ન હોવાથી તેણે પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર પરિણીતાના ઘરે જઈ સંબંધ રાખવા દબાણ કરતો અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

ગત 1-3-2026ના રોજ વહેલી સવારે વિજયે પરિણીતા પાસે નાણાંની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા તેણે પતિ અને બાળકોને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરિણીતાએ પોલીસમાં અરજી કરતા વિજયના પરિવારના સભ્યો છગન ગોવિંદભાઈ, ચોથા ગોવિંદભાઈ અને ગોપાલ ચોથાભાઈ લાકડી અને છરી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. સતત મળતી ધમકીઓ અને જીવના જોખમને કારણે પરિણીતાએ અંતે 12મી માર્ચના રોજ ચારેય શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ એ.બી. ભુંસડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

2 days ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

2 days ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

2 days ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

2 days ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

2 days ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

2 days ago