સુરેન્દ્રનગર (Surendranagar) શહેરને વર્ષ 2030 સુધીમાં રેબીસ ફ્રી (Rabies Free) બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની એક્સપર્ટ એજન્સી ‘ગોલ ફાઉન્ડેશન’ (Goal Foundation) ના 12 સભ્યોની ટીમ દ્વારા શહેરમાં પ્રથમવાર રખડતા શ્વાનનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે (Survey) કરવામાં આવશે.
આ સર્વેમાં સોફ્ટવેર (Software) અને મોબાઈલ એપ (Mobile App)ની મદદથી દરેક શ્વાનનો ફોટો, રંગ, કદ, જાતિ (નર-માદા) અને શારીરિક તંદુરસ્તી જેવી વિગતોનો બાયોડેટા (Biodata) તૈયાર કરવામાં આવશે. જીઓ-મેપિંગ (Geo-mapping) દ્વારા કયા વિસ્તારમાં કેટલા શ્વાન છે તેની ચોક્કસ માહિતી ઓનલાઈન (Online) ઉપલબ્ધ થશે.
શહેરમાં દર મહિને સરેરાશ 425 જેટલા ડોગબાઇટ (Dog bite)ના કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ સર્વે પૂર્ણ થયા બાદ તમામ શ્વાનનું ખસીકરણ (Sterilization) કરવામાં આવશે. ખસીકરણ બાદ શ્વાનને 6 દિવસ સુધી ઓબ્ઝર્વેશન (Observation) હેઠળ રાખીને જે-તે વિસ્તારમાં પરત મુક્ત કરવામાં આવશે. મનપા દ્વારા નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…