Surendranagar

સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાનના ડિજિટલ બાયોડેટા બનાવી ખસીકરણ કરાશે

સુરેન્દ્રનગર (Surendranagar) શહેરને વર્ષ 2030 સુધીમાં રેબીસ ફ્રી (Rabies Free) બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની એક્સપર્ટ એજન્સી ‘ગોલ ફાઉન્ડેશન’ (Goal Foundation) ના 12 સભ્યોની ટીમ દ્વારા શહેરમાં પ્રથમવાર રખડતા શ્વાનનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે (Survey) કરવામાં આવશે.

આ સર્વેમાં સોફ્ટવેર (Software) અને મોબાઈલ એપ (Mobile App)ની મદદથી દરેક શ્વાનનો ફોટો, રંગ, કદ, જાતિ (નર-માદા) અને શારીરિક તંદુરસ્તી જેવી વિગતોનો બાયોડેટા (Biodata) તૈયાર કરવામાં આવશે. જીઓ-મેપિંગ (Geo-mapping) દ્વારા કયા વિસ્તારમાં કેટલા શ્વાન છે તેની ચોક્કસ માહિતી ઓનલાઈન (Online) ઉપલબ્ધ થશે.

શહેરમાં દર મહિને સરેરાશ 425 જેટલા ડોગબાઇટ (Dog bite)ના કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ સર્વે પૂર્ણ થયા બાદ તમામ શ્વાનનું ખસીકરણ (Sterilization) કરવામાં આવશે. ખસીકરણ બાદ શ્વાનને 6 દિવસ સુધી ઓબ્ઝર્વેશન (Observation) હેઠળ રાખીને જે-તે વિસ્તારમાં પરત મુક્ત કરવામાં આવશે. મનપા દ્વારા નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago