સુરેન્દ્રનગર (Surendranagar) શહેરને વર્ષ 2030 સુધીમાં રેબીસ ફ્રી (Rabies Free) બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની એક્સપર્ટ એજન્સી ‘ગોલ ફાઉન્ડેશન’ (Goal Foundation) ના 12 સભ્યોની ટીમ દ્વારા શહેરમાં પ્રથમવાર રખડતા શ્વાનનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે (Survey) કરવામાં આવશે.
આ સર્વેમાં સોફ્ટવેર (Software) અને મોબાઈલ એપ (Mobile App)ની મદદથી દરેક શ્વાનનો ફોટો, રંગ, કદ, જાતિ (નર-માદા) અને શારીરિક તંદુરસ્તી જેવી વિગતોનો બાયોડેટા (Biodata) તૈયાર કરવામાં આવશે. જીઓ-મેપિંગ (Geo-mapping) દ્વારા કયા વિસ્તારમાં કેટલા શ્વાન છે તેની ચોક્કસ માહિતી ઓનલાઈન (Online) ઉપલબ્ધ થશે.
શહેરમાં દર મહિને સરેરાશ 425 જેટલા ડોગબાઇટ (Dog bite)ના કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ સર્વે પૂર્ણ થયા બાદ તમામ શ્વાનનું ખસીકરણ (Sterilization) કરવામાં આવશે. ખસીકરણ બાદ શ્વાનને 6 દિવસ સુધી ઓબ્ઝર્વેશન (Observation) હેઠળ રાખીને જે-તે વિસ્તારમાં પરત મુક્ત કરવામાં આવશે. મનપા દ્વારા નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…