ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં ભવ્ય પ્રારંભ થયો છે. પાંચાળની પાવન ધરા પર ભક્તિ અને લોક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જન્મભૂમિ પર જ વિશેષ સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકસહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કલેક્ટર કે.એસ. યાશિક અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવમાં ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો મુખ્ય આકર્ષણ રહ્યો હતો. રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત આ શોમાં મેઘાણીજીની અમર રચનાઓને આધુનિક શૈલીમાં રજૂ કરી નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, પાંચાળનો હુડો રાસ, લાવણી નૃત્ય અને ડાંગના પાવરી નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગુજરાતની કલા-સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…