Subscribe for notification
Categories: Chotila

ચોટીલામાં મિની વાવાઝોડા સાથે માવઠું: તૈયાર પાક પલળી જતાં ખેડૂતો બેહાલ, માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા નિર્ણય

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટકતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોરદાર પવનને કારણે ચોટીલા હાઈવે અને તળેટી વિસ્તારમાં હંગામી શેડ અને છાપરાં ઉડી જતાં નાના ધંધાર્થીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

આ માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હાલ રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક ખેતરોમાં કાપણી કરેલા પાકના પાથરા વિખાઈ જતાં ધાન્યની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું અને એરંડા જેવા રોકડિયા પાકોમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે વીજ માળખાને પણ ફટકો પડ્યો છે. અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ક્ષતિ સર્જાતા અંધારપટ છવાયો હતો, જેને પૂર્વવત કરવા વીજ વિભાગની ટીમો કામે લાગી છે. ખરાબ હવામાન અને હજુ પણ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે તા. 20 માર્ચના રોજ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago