હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટકતા સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોરદાર પવનને કારણે ચોટીલા હાઈવે અને તળેટી વિસ્તારમાં હંગામી શેડ અને છાપરાં ઉડી જતાં નાના ધંધાર્થીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
આ માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. હાલ રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે ત્યારે ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણાના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક ખેતરોમાં કાપણી કરેલા પાકના પાથરા વિખાઈ જતાં ધાન્યની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરું અને એરંડા જેવા રોકડિયા પાકોમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે વીજ માળખાને પણ ફટકો પડ્યો છે. અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ક્ષતિ સર્જાતા અંધારપટ છવાયો હતો, જેને પૂર્વવત કરવા વીજ વિભાગની ટીમો કામે લાગી છે. ખરાબ હવામાન અને હજુ પણ વરસાદની આગાહીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે તા. 20 માર્ચના રોજ ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…