સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન માફિયાઓ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સાયલા પોલીસે બાતમીના આધારે ચોરવીરા ગામના વિસ્તારમાં ચાલતી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે કાર્બોસેલના 7 કૂવાઓ શોધી કાઢ્યા હતા, જ્યાં ખનીજ ચોરીનું મોટું નેટવર્ક કાર્યરત હતું.
પોલીસની આ રેડમાં ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સામાનમાં 1 લોડર, 2 ટ્રેક્ટર, 1 જનરેટર, 10 પાઈપો, 5 બકેટ અને અંદાજે 180 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો શામેલ છે. પકડાયેલા તમામ સાધનો અને ખનીજ જથ્થાને સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગની કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ મામલે હવે આગળની તપાસ ખાણ-ખનીજ વિભાગ (Geology and Mining Department) ને સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા આ કૂવાઓમાંથી અત્યાર સુધીમાં કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માપણી કરવામાં આવશે અને તેના આધારે જવાબદારોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાયલા પોલીસની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી ચોરવીરા વિસ્તારમાં કાર્બોસેલનું ખનન બંધ થવાનું નામ લેતું નહોતું, ત્યારે આ કાર્યવાહી એક મોટો ફટકો સાબિત થશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…