સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં કરા સાથે વરસાદ વરસતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
જોકે, આ કુદરતી આફત ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે. મોટા કાંધાસર ગામે વરિયાળીના ઊભા પાક પર કરા પડવાને કારણે પાક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનાથી જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.
આ કરાના વરસાદ દરમિયાન પશુઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. વરસાદ અને તેજ પવનને કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. માવઠાની સાથે કરા પડતા ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કરાનો વરસાદ જોઈ લોકોમાં નવાઈ હતી, તો બીજી તરફ પાયમાલ થયેલા પાકને જોઈ ખેડૂતોની આંખોમાં આંસુ હતા.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…