Subscribe for notification
Categories: Chotila

ચોટીલા પાલિકામાં લગ્ન નોંધણી માટે નિયમ વિરુદ્ધ સોગંધનામા માંગતા રોષ

ચોટીલા નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે તમામ દસ્તાવેજો હોવા છતાં અરજદારો પાસેથી પરાણે સોગંધનામા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મનસ્વી વહીવટને કારણે લોકોને પડતી હાલાકી અંગે અરજદારે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ચોટીલા નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકારના વર્ષ 2005ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અરજદારો પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ સોગંધનામા ફરજિયાતપણે માંગવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારી નિયમોમાં આવા કોઈ સોગંધનામાનો ઉલ્લેખ નથી, છતાં પાલિકાએ જાતે જ નવા નિયમો બનાવી પ્રજા પર આથક બોજ વધાર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લગ્ન નોંધણી માટે સોગંધનામા, ટિકિટ અને સટફિકેટના નામે એક અરજદારને અંદાજે રૂ. 3,000નો જંગી ખર્ચ થઈ રહ્યો છે.

તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં પણ વર-કન્યા પક્ષ પાસેથી આવા સોગંધનામા લઈને હેરાન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ આવી કોઈ પ્રથા ન હોવા છતાં ચોટીલામાં ચાલતી આ લૂંટ સામે જાગૃત નાગરિક વિનોદ મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પ્રજાના હિતમાં આ ખોટી પ્રથા બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago