સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકા દ્વારા રૂ.6.55 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ તળાવ બ્યુટીફિકેશનનું કામ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ટેન્ડરની શરતો મુજબ, કામગીરીમાં વપરાતા તમામ ખનીજ તત્વોની રોયલ્ટી ભરવી ફરજિયાત હોવા છતાં, કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રોયલ્ટી ભર્યા વિના જ માટીનું પુરાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે.
અરજદારના જણાવ્યા મુજબ, તળાવમાંથી જ બેફામ રીતે માટીનું ખોદકામ કરી તેનો ઉપયોગ પુરાણ માટે કરવામાં આવ્યો છે, જેના કારણે સરકારની તિજોરીને અંદાજે એક કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે.
આ મામલે અગાઉ સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા હવે મામલો મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પહોંચ્યો છે. આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર એજન્સીને આથક લાભ કરાવવા માટે અધિકારીઓએ જાણીજોઈને આંખ આડા કાન કર્યા છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય વિજિલન્સ તપાસ કરવામાં આવે અને માટી ખરીદીની રસીદો તથા રોયલ્ટીના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે. જો અધિકારીઓની સંડોવણી સાબિત થાય તો તેમની સામે પણ કડક પગલાં ભરવાની માંગ પ્રબળ બની છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…