Surendranagar

સુરેન્દ્રનગરમાં ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવ રૂ.200 પ્રતિ કિલોએ પહોંચ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધતાની સાથે જ લીંબુના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. દસ દિવસ પહેલા રૂ.૭0 પ્રતિ કિલોએ મળતા લીંબુનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ.200 સુધી પહોંચી ગયો છે, એટલે કે એક મણ લીંબુના ભાવ રૂ.4,000એ પહોંચ્યા છે.

હાલમાં આકરો તડકો અને હીટવેવની સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા લીંબુ શરબત અને પ્રવાહી લેવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય માણસ માટે લીંબુ ખરીદવા હવે મોંઘા સાબિત થઈ રહ્યા છે.

સ્થાનિક સ્તરે લીંબુની આવક નહિવત હોવાથી માર્કેટિંગ યાર્ડમાં બહારથી લીંબુ મંગાવવા પડી રહ્યા છે, જે ભાવવધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક તરફ ઘરેલુ ગેસના વધતા ભાવ અને બીજી તરફ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા શહેરીજનો માટે લીંબુ જેવી પ્રાથમિક જરૂરિયાત પણ હવે લક્ઝરી બની ગઈ છે. ખાસ કરીને રમઝાન માસ દરમિયાન લીંબુની વધુ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે મોંઘા ભાવે ખરીદી કરવા સિવાય લોકો પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago