Chotila

ચોટીલામાં કોંગ્રેસને મોટો ઝટકો: 20 થી વધુ સક્રિય કાર્યકરોએ આપમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચોટીલા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે, જેમાં મોકાસર અને ઝીંઝુડા સહિતના ગામોના 20 થી વધુ વરિષ્ઠ અને સક્રિય કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી (AAP) માં જોડાવાનો નિર્ણય કર્યો છે.

વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા આ કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપી આપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં ભંગાણ સર્જાયું છે. ચોટીલા પંથકમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ તરફી મજબૂત પકડ ધરાવતા કાર્યકર્તાઓ હવે આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.

આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પાયાના કાર્યકરોનું આપમાં જોડાવું તે આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. ચૂંટણી પહેલા પક્ષ પલટાની આ મોસમમાં કોંગ્રેસને પોતાનું સંગઠન સાચવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago