સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખનીજ ચોરીની સમસ્યા વકરતી જઈ રહી છે. ખાસ કરીને બજાણા અને સવલાસ ગામની હદમાં આવેલી સરકારી જમીનો પર ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરીને મોટા પાયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે.
આ અંગે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, જ્યાં આ ખનન ચાલી રહ્યું છે તેની તદ્દન નજીક જ વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ્ય આવેલું છે.
સુરક્ષિત વિસ્તાર હોવા છતાં દિવસ-રાત જેસીબી અને ડમ્પરો દ્વારા કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ ડમ્પર અને ભારે વાહનો લઈ જવા માટે ખેતરોની નજીકથી ગેરકાયદેસર રસ્તાઓ બનાવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.
તંત્રને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સરકારી જમીનનું ધોવાણ થવાથી પર્યાવરણને પણ મોટું જોખમ ઊભું થયું છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ખાણ ખનીજ વિભાગ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરે. જો આગામી દિવસોમાં આ ખનન બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…