સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ખનીજ ચોરીની સમસ્યા વકરતી જઈ રહી છે. ખાસ કરીને બજાણા અને સવલાસ ગામની હદમાં આવેલી સરકારી જમીનો પર ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરીને મોટા પાયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે.
આ અંગે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, જ્યાં આ ખનન ચાલી રહ્યું છે તેની તદ્દન નજીક જ વિશ્વવિખ્યાત ઘુડખર અભયારણ્ય આવેલું છે.
સુરક્ષિત વિસ્તાર હોવા છતાં દિવસ-રાત જેસીબી અને ડમ્પરો દ્વારા કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ ડમ્પર અને ભારે વાહનો લઈ જવા માટે ખેતરોની નજીકથી ગેરકાયદેસર રસ્તાઓ બનાવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.
તંત્રને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સરકારી જમીનનું ધોવાણ થવાથી પર્યાવરણને પણ મોટું જોખમ ઊભું થયું છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ખાણ ખનીજ વિભાગ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરે. જો આગામી દિવસોમાં આ ખનન બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…