થાનના ખારા વિસ્તારમાં વન્યજીવોના શિકારની પ્રવૃત્તિ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. થાનના વન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કંડોળીયા હનુમાનજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર શિકાર થતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ ગંભીર બાબતને ધ્યાને રાખી તપાસ હાથ ધરતા મંદિરના CCTV ફૂટેજમાં 2 શખ્સો સસલાનો શિકાર કરતા કેદ થયા હતા. મંદિરના સેવાભાવી નાગરિકોએ આ પુરાવા સાથે વન વિભાગને જાણ કરી હતી. જેના આધારે વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગોપાલભાઈ ભૂપતભાઈ ઝાલા અને વિશાલભાઈ જગદીશભાઈ મકવાણા નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ સક્રિયતાથી શિકારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…