Patdi

દસાડા પોલીસનો હેડ કોન્સ્ટેબલ 80ની લાંચ સ્વીકારે તે પહેલા જ ACB ત્રાટકી

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના દસાડા પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર વિરોધી વિભાગ (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દસાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ મેમકીયા રૂ. 80,000ની લાંચની માંગણી કરતા અમદાવાદ ACBના હાથે ઝડપાઈ ગયા છે. હેડ કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારે તે પહેલા જ ACBની ટીમે તેને દબોચી લીધો હતો. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસ દ્વારા માર ન મારવા અને અન્ય કોઈ કેસોમાં ફરિયાદીનું નામ ન ખોલવા માટે હેડ કોન્સ્ટેબલે 80 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો. ACBના પી.આઈ. એન.બી. સોલંકી અને તેમની ટીમે દસાડા ખાતે આવેલા વી.એમ. વે-બ્રીજ પાસે છટકું ગોઠવ્યું હતું.

19 માર્ચ 2026ના રોજ ગોઠવાયેલા આ છટકામાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈએ ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી હતી. જોકે, કોઈ કારણોસર તે રકમ હાથમાં લે તે પહેલા જ સતર્ક ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર લાંચ પ્રકરણમાં અન્ય એક બદલી થયેલા પોલીસ કર્મચારી અને કથિત વહીવટદારની સંડોવણી હોવાની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. હાલમાં એસીબી દ્વારા હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપને કારણે દસાડા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago