સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે પવન અને વરસાદી વાતાવરણના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાતા એક વિશાળ ઝાડ અચાનક તૂટી પડ્યું હતું.
આ ઘટનાને પગલે મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નગરપાલિકાની ટીમ અને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.
તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને જેસીબી અને અન્ય સાધનોની મદદથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 3 થી 4 કલાક સુધી રસ્તો બંધ રહ્યા બાદ ઝાડ દૂર કરવામાં આવ્યું હતું અને પુનઃ વાહનવ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…