સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થાન તાલુકાના ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર 570માં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા નામના શખ્સને પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યજીવનો શિકાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત સામે આવી છે કે તે સાંઢાનો શિકાર કરી તેમાંથી તેલ કાઢીને તેનું વેચાણ કરતો હતો અને તેના માંસનો વ્યક્તિગત વપરાશ કરતો હતો. વન વિભાગે આરોપી પાસેથી 1 જીવંત સાંઢો, શિકાર માટેના સાધનો, એક બાઈક અને રોકડ મળી કુલ ₹2,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ગુનાની ગંભીરતા જોઈ કોર્ટે આરોપીના જામીન નાંજૂર કર્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…