સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થાન તાલુકાના ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર 570માં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા નામના શખ્સને પ્રતિબંધિત ‘સાંઢા’ વન્યજીવનો શિકાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત સામે આવી છે કે તે સાંઢાનો શિકાર કરી તેમાંથી તેલ કાઢીને તેનું વેચાણ કરતો હતો અને તેના માંસનો વ્યક્તિગત વપરાશ કરતો હતો. વન વિભાગે આરોપી પાસેથી 1 જીવંત સાંઢો, શિકાર માટેના સાધનો, એક બાઈક અને રોકડ મળી કુલ ₹2,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ગુનાની ગંભીરતા જોઈ કોર્ટે આરોપીના જામીન નાંજૂર કર્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…