સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદેસર ખનન બાદ ખુલ્લી છોડાયેલી ખાણો હવે જીવલેણ સાબિત થઈ રહી છે. થાનના દેવપરા ગામની સીમમાં આવેલી એક પથ્થરની ખાણમાં ડૂબી જવાથી 23 વર્ષીય યુવક રોહિત મનજીભાઈ મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 12 કલાકમાં થાન તાલુકામાં ખાણમાં ડૂબી જવાની આ બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રોહિત સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દેવપરાની સીમમાં ખાણ પાસે તેના કપડાં અને ચપ્પલ મળી આવતા તે પાણીમાં ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટર ટીમે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, યુવક નહાવા પડ્યો હોય ત્યારે ડૂબી ગયો હોવાનું મનાય છે.
સ્થાનિકોની માંગ છે કે ભૂમાફિયાઓ દ્વારા ખોદવામાં આવેલી આવી જોખમી ખાણોને તંત્ર દ્વારા સત્વરે પુરી દેવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…