Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી વધુ પેસેન્જરોની અવર-જવર ધરાવતા આ બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

હાલમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બપોરના સમયે બસ સ્ટેન્ડના 10 થી વધુ પંખાઓ બંધ રાખવામાં આવતા મુસાફરો શેકાઈ રહ્યા છે. એસ.ટી. વિભાગના અધિકારીઓની મનમાનીને કારણે નાના બાળકો અને વૃદ્ધોને ભારે બફારા વચ્ચે બસોની રાહ જોવી પડી રહી છે.

બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાંકડા ન હોવાથી મજબૂર મુસાફરોને જમીન પર બેસવું પડે છે. આ ઉપરાંત, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો છે. પેસેન્જરોએ આક્ષેપ કર્યો છે કે બસ સ્ટેન્ડમાં લગાવેલું સમયપત્રક અત્યંત જૂનું છે, જેમાં દર્શાવેલા અનેક રૂટ હાલમાં બંધ હોવા છતાં તેને અપડેટ કરવામાં આવ્યું નથી. મુસાફરોએ માંગ કરી છે કે બપોરના સમયે પંખા ચાલુ રાખવામાં આવે, નવા બાંકડા મુકાય અને બસોનું ટાઈમ ટેબલ તાત્કાલિક અપડેટ કરવામાં આવે જેથી જનતાને હાલાકી ન ભોગવવી પડે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના…

9 hours ago