સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મનસુખભાઈ પાલાભાઈ મકવાણાએ પોતાના ધંધા માટે 1 માર્ચ 2024 ના રોજ ગામના જ મનુભાઈ જીવાભાઈ ખાચર પાસેથી 3 ટકાના વ્યાજે 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એક વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ, વ્યાજખોરે લાલચમાં આવી વ્યાજનો દર વધારીને 5 ટકા કરી નાખ્યો હતો.
પીડિત યુવાને અત્યાર સુધીમાં 2 લાખની સામે 1,92,000 રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી છે. આમ છતાં, આરોપી મનુભાઈએ મૂળ રકમ અને વ્યાજ ગણીને કુલ 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે યુવાનને પોતાનું ઘર ખાલી કરી દેવા અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.
વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે મનસુખભાઈએ હિંમત ભેગી કરી ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…