સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મનસુખભાઈ પાલાભાઈ મકવાણાએ પોતાના ધંધા માટે 1 માર્ચ 2024 ના રોજ ગામના જ મનુભાઈ જીવાભાઈ ખાચર પાસેથી 3 ટકાના વ્યાજે 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એક વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ, વ્યાજખોરે લાલચમાં આવી વ્યાજનો દર વધારીને 5 ટકા કરી નાખ્યો હતો.
પીડિત યુવાને અત્યાર સુધીમાં 2 લાખની સામે 1,92,000 રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી છે. આમ છતાં, આરોપી મનુભાઈએ મૂળ રકમ અને વ્યાજ ગણીને કુલ 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે યુવાનને પોતાનું ઘર ખાલી કરી દેવા અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.
વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે મનસુખભાઈએ હિંમત ભેગી કરી ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…