સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મનસુખભાઈ પાલાભાઈ મકવાણાએ પોતાના ધંધા માટે 1 માર્ચ 2024 ના રોજ ગામના જ મનુભાઈ જીવાભાઈ ખાચર પાસેથી 3 ટકાના વ્યાજે 2 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એક વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યા બાદ, વ્યાજખોરે લાલચમાં આવી વ્યાજનો દર વધારીને 5 ટકા કરી નાખ્યો હતો.
પીડિત યુવાને અત્યાર સુધીમાં 2 લાખની સામે 1,92,000 રૂપિયા જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી છે. આમ છતાં, આરોપી મનુભાઈએ મૂળ રકમ અને વ્યાજ ગણીને કુલ 6 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે યુવાનને પોતાનું ઘર ખાલી કરી દેવા અને જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.
વ્યાજખોરના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે મનસુખભાઈએ હિંમત ભેગી કરી ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારના વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…