Surendranagar

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને વઢવાણ-સુરેન્દ્રનગર વચ્ચે ઝડપી અવરજવર માટે કરોડોના ખર્ચે બનેલા આ રિવરફ્રન્ટની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે.

ખાસ કરીને સાયન્સ કોલેજ સામેના જોખમી વળાંક પર મોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. નબળી કામગીરીને કારણે રિવરફ્રન્ટ વારંવાર વિવાદોમાં રહ્યો છે અને હવે તેના નવીનીકરણની કામગીરી પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સાયન્સ કોલેજ પાસે ઢાળ અને વળાંક હોવાથી વાહનચાલકો અચાનક ખાડો આવતા બ્રેક મારે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો અથડાવાના બનાવો રોજિંદા બન્યા છે. આ જીવલેણ ખાડાઓને કારણે અનેક વાહનચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

જોકે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, પરંતુ લોકમાગ છે કે જ્યાં સુધી નવો રોડ તૈયાર ન થાય ત્યાં સુધી આ જોખમી ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે. તંત્રની આળસને કારણે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે વહેલી તકે મરામત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago