સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ, કુલ 522 કેસ પશુ કરડવાના નોંધાયા છે.
જેમાં સૌથી વધુ રખડતા શ્વાન (Dog Bite) ના 464 કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં રખડતા ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે, જેમાં 15 જેટલા લોકોને ભૂંડે બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શેરીઓમાં રમતા નાના બાળકો ભૂંડનો ભોગ બની રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.
હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, શ્વાન અને ભૂંડ સિવાય ઉંદર, પાલતુ ગાય અને નોળિયા કરડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. સદનસીબે, સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
બીજી તરફ, મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાના સેનિટેશન વિભાગના જણાવ્યા મુજબ, રખડતા પશુઓને પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ એજન્સીએ રસ ન દાખવતા હવે રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે રખડતા શ્વાન અને ભૂંડને પકડવાની ઝુંબેશ શરૂ કરે જેથી નિર્દોષ નાગરિકો અને બાળકોને સુરક્ષિત કરી શકાય.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…