સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ, કુલ 522 કેસ પશુ કરડવાના નોંધાયા છે.
જેમાં સૌથી વધુ રખડતા શ્વાન (Dog Bite) ના 464 કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં રખડતા ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે, જેમાં 15 જેટલા લોકોને ભૂંડે બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શેરીઓમાં રમતા નાના બાળકો ભૂંડનો ભોગ બની રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.
હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, શ્વાન અને ભૂંડ સિવાય ઉંદર, પાલતુ ગાય અને નોળિયા કરડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. સદનસીબે, સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
બીજી તરફ, મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાના સેનિટેશન વિભાગના જણાવ્યા મુજબ, રખડતા પશુઓને પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ એજન્સીએ રસ ન દાખવતા હવે રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે રખડતા શ્વાન અને ભૂંડને પકડવાની ઝુંબેશ શરૂ કરે જેથી નિર્દોષ નાગરિકો અને બાળકોને સુરક્ષિત કરી શકાય.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…