Surendranagar

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓનો આતંક: એક જ મહિનામાં 522 લોકોને બચકા ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ, કુલ 522 કેસ પશુ કરડવાના નોંધાયા છે.

જેમાં સૌથી વધુ રખડતા શ્વાન (Dog Bite) ના 464 કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં રખડતા ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે, જેમાં 15 જેટલા લોકોને ભૂંડે બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શેરીઓમાં રમતા નાના બાળકો ભૂંડનો ભોગ બની રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.

હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, શ્વાન અને ભૂંડ સિવાય ઉંદર, પાલતુ ગાય અને નોળિયા કરડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. સદનસીબે, સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

બીજી તરફ, મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાના સેનિટેશન વિભાગના જણાવ્યા મુજબ, રખડતા પશુઓને પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ એજન્સીએ રસ ન દાખવતા હવે રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે રખડતા શ્વાન અને ભૂંડને પકડવાની ઝુંબેશ શરૂ કરે જેથી નિર્દોષ નાગરિકો અને બાળકોને સુરક્ષિત કરી શકાય.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

7 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

10 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

10 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

10 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

10 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

11 hours ago