Surendranagar Ration Shopkeepers
Surendranagar Ration Shopkeepers | સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો છેલ્લા 6 મહિનાથી કમિશનની ચુકવણી ન થવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાની 500 થી વધુ દુકાનોના સંચાલકોએ આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી અનાજ પહોંચાડતા આ દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે, કારણ કે લાંબા સમયથી તેમને મળવાપાત્ર કમિશન સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે.
દુકાનદારોનો આક્ષેપ છે કે કમિશન ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો પણ વણઉકેલ્યા છે. ઘણીવાર અનાજ માટે એડવાન્સ રૂપિયા ભર્યા હોવા છતાં માલ સમયસર મળતો નથી. આ ઉપરાંત, દુકાનદારો પાસે VCE ની કામગીરી કરાવવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય વળતર મળતું નથી. આ અન્યાય સામે વિરોધ નોંધાવતા પાટડી તાલુકાના એક દુકાનદારે તો રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી છે.
જો તાત્કાલિક ધોરણે 6 માસનું કમિશન ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અન્ય દુકાનદારો પણ સામૂહિક રાજીનામા આપે તેવી શક્યતા છે. પુરવઠા અધિકારીએ હાલ આ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…