Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં મૂળી તાલુકાના ગઢડા ગામે વ્યાજખોરોના ત્રાસથી એક ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રેન્જ I.G. નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ વિશેષ ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના એ-ડિવિઝન, બી-ડિવિઝન, વઢવાણ, લખતર, જોરાવરનગર અને મૂળી એમ 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 100 થી વધુ પીડિતો ઉમટી પડ્યા હતા.

આ મેળાની ખાસિયત એ હતી કે પોલીસ માત્ર ફરિયાદ નોંધીને અટકી નથી, પરંતુ પીડિતોને વ્યાજખોરોની ચુંગાલમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે બેંકિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. કાર્યક્રમમાં SBI, ગુજરાત ગ્રામીણ બેંક અને યુનો બેંક જેવી વિવિધ સરકારી બેંકોના મેનેજરોને ખાસ તેડાવવામાં આવ્યા હતા. જે લોકો આર્થિક ભીંસમાં છે તેમને તાત્કાલિક ધોરણે બેંક લોન મળી રહે તે માટે પોલીસ વિભાગે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને આપવામાં આવતી ₹10,000 થી ₹50,000 સુધીની લોન પ્રક્રિયા પણ સ્થળ પર જ શરૂ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ અંતિમ પગલું ન ભરે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.” પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે જે વ્યાજખોરો નિર્દોષ લોકોને ધાક-ધમકી આપે છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મેળામાં ઉપસ્થિત પીઆઈ અને પીએસઆઈ સ્તરે લોકોની રજૂઆતો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ પહેલથી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સેંકડો પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

7 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

12 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

12 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

12 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

12 hours ago

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના…

13 hours ago