સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વિભાગમાં 6.41 કરોડના ખર્ચે નવા આધુનિક વાહનોનો ઉમેરો થયો છે. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે આ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ નવા વાહનોમાં 71 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્વિક રિસ્પોન્સ વેહિકલનો પણ સમાવેશ થાય છે, જે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે. આ આધુનિક સાધનો 20 મીટરની ઊંચાઈ અને સાત માળ સુધીની ઈમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા સક્ષમ છે.
આ પ્રસંગે “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સુવિધાથી જાન-માલનું નુકસાન અટકાવી શકાશે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગ્વાહાણેએ જણાવ્યું કે માર્ચ મહિનાના અંતિમ દિવસે શહેરીજનોએ 85 લાખના વેરાની ભરપાઈ કરી છે, જે બદલ તેમણે નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…