સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગરથી મોરબી સુધી પાણી પહોંચાડતી મુખ્ય બ્રાન્ચની કેનાલની સ્થિતિ ચિંતાજનક બની છે.
કેનાલના પીલર પરથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને અંદરના લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે. નર્મદા વિભાગ દ્વારા રીપેરીંગ કામગીરીની જાહેરાતો તો કરવામાં આવી છે, પરંતુ 1 પણ સ્થળ પર હજુ સુધી પ્રત્યક્ષ કામ શરૂ થયું નથી.
કેનાલ પર આવેલા બ્રિજ અને પીલર ફાટી જવાની સ્થિતિમાં હોવાથી ખેડૂતોમાં ફાળ પડી છે. ખેતી માટે મશીનરી મુકવા જતા ખેડૂતોના જીવનું જોખમ વધી રહ્યું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે રીપેરીંગના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઠેરની ઠેર છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…