સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડવા માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં ગણપતિ ફાટસર જેવા વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે.
આ વિસ્તારના અંદાજે 1000 થી વધુ મકાનોમાં આવતા આ પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું અનુમાન છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી મર્જ થઈ ગયું છે.
આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. રહીશોની માંગ છે કે તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરી શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણીનું વિતરણ શરૂ કરવામાં આવે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…