સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડવા માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં ગણપતિ ફાટસર જેવા વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે.
આ વિસ્તારના અંદાજે 1000 થી વધુ મકાનોમાં આવતા આ પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું અનુમાન છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી મર્જ થઈ ગયું છે.
આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. રહીશોની માંગ છે કે તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરી શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણીનું વિતરણ શરૂ કરવામાં આવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…