સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડવા માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં ગણપતિ ફાટસર જેવા વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે.
આ વિસ્તારના અંદાજે 1000 થી વધુ મકાનોમાં આવતા આ પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું અનુમાન છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી મર્જ થઈ ગયું છે.
આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. રહીશોની માંગ છે કે તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરી શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણીનું વિતરણ શરૂ કરવામાં આવે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…