સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું કોઠારીયા ગામ આજે સમગ્ર ગુજરાતમાં માનવતા અને પશુસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સ્વ. વજા ભગત દ્વારા શરૂ કરવામાં આવેલી અબોલ જીવોની સેવા આજે પણ રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા અવિરત ચાલી રહી છે.
આ ગામમાં 3000ની વસ્તી સામે 1000થી વધુ ગાયોની વિશાળ ગૌશાળા આવેલી છે. અહીં રોજ સવારે 3 વાગ્યાથી 70 જેટલી મહિલાઓ દ્વારા 20 મણ લોટના રોટલા તૈયાર કરી જરૂરિયાતમંદો, અંધજનો અને સાધુ-સંતો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં નાત-જાતના ભેદભાવ વગર દરરોજ 4000 લોકોને છાશ અને દર્દીઓને વિનામૂલ્યે દૂધનું વિતરણ કરવામાં આવે છે.
વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 11 એપ્રિલ 2026થી ગામમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પોથી યાત્રા, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ અને રુકમણી વિવાહ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી થશે. કથા દરમિયાન દરરોજ 1 લાખથી વધુ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે કોઠારીયા અને આજુબાજુના ગામોના 1500થી વધુ સ્વયંસેવકો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. અહીં કીડીથી લઈને કુંજર સુધી તમામની સંભાળ લેવામાં આવતી હોવાથી કોઠારીયા સાચા અર્થમાં ‘ગોકુળિયું ગામ’ બન્યું છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…