ચોટીલાના ગુંદા ગામે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા એક બોગસ ડોક્ટરને આણંદપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપેલા બોગસ ડોક્ટરોના નેટવર્કને ડામવા આણંદપુર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગુંદા ગામે રાજુભાઈ દુલાલભાઈ ગોલદર નામનો શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે દરોડો પાડી તપાસ કરતા સામે આવ્યું કે આ શખ્સ પાસે કોઈ પણ માન્ય તબીબી પ્રમાણપત્ર નથી, છતાં તે છેલ્લા 13 વર્ષથી એલોપેથી સારવાર આપી રહ્યો હતો.
પોલીસે ક્લિનિકમાંથી રૂ.3026ની કિંમતની એલોપેથી દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો કબજે કર્યોે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ ગ્રામજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…