ચોટીલાના ગુંદા ગામે ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા એક બોગસ ડોક્ટરને આણંદપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપેલા બોગસ ડોક્ટરોના નેટવર્કને ડામવા આણંદપુર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગુંદા ગામે રાજુભાઈ દુલાલભાઈ ગોલદર નામનો શખ્સ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે દરોડો પાડી તપાસ કરતા સામે આવ્યું કે આ શખ્સ પાસે કોઈ પણ માન્ય તબીબી પ્રમાણપત્ર નથી, છતાં તે છેલ્લા 13 વર્ષથી એલોપેથી સારવાર આપી રહ્યો હતો.
પોલીસે ક્લિનિકમાંથી રૂ.3026ની કિંમતની એલોપેથી દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો કબજે કર્યોે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ ગ્રામજનોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…