સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તે હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે.
આ ડેમ પીવાના પાણી માટે આરક્ષિત (Reserved) હોવા છતાં અને તંત્ર દ્વારા પ્રવેશબંધીનું જાહેરનામું (Notification) હોવા છતાં, અહીં ખુલ્લેઆમ માછીમારી (Fishing) થઈ રહી છે.
સૌની યોજના (SAUNI Yojana) અને નર્મદા કેનાલ (Narmada Canal) દ્વારા આ ડેમમાંથી પીવાનું અને સિંચાઈનું (Irrigation) પાણી પૂરું પાડવામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે, પ્રતિબંધ હોવા છતાં માછીમારો દિવસ-રાત ડેમમાં મશીનરી (Machinery) ઉતારીને માછલાં પકડી રહ્યા છે. સ્થાનિકોને શંકા છે કે રાત્રિના સમયે અહીં ખનીજ ચોરી (Mineral Theft) પણ કરવામાં આવે છે.
સિક્યુરિટી ગાર્ડની ઘોર બેદરકારી અથવા સરકારી અધિકારીઓની મિલીભગત વગર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શક્ય નથી.
પીવાના પાણીના સ્ત્રોતમાં આ પ્રકારે ગંદકી અને અવરજવર વધતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ અનલીગલી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…