Surendranagar

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે સ્થાનિક જીવદયાપ્રેમીઓ અને નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઢવાણ, રતનપર અને જોરાવનગર વિસ્તારમાંથી વહેતી ભોગાવો નદીમાં તાજેતરમાં જ ફરી એકવાર પશુઓના શારીરિક અંગો કચરાના ઢગલામાંથી મળી આવ્યા છે. આ ગંભીર કૃત્યને કારણે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. અને સમગ્ર પંથકમાં કોમી એકતા ખંડિત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.

આ અગાઉ પણ રતનપર વિસ્તારમાંથી ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા. જેના આરોપીઓ હજી સુધી પોલીસ પકડથી દૂર છે. ત્યાં ફરી આવી જ ઘટના પ્રકાશમાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.

સ્થાનિક સૂત્રો અને જીવદયાપ્રેમીઓના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. આ કતલખાનાઓ ચલાવતા અસામાજિક તત્વો દ્વારા અબોલ પશુઓની ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવે છે. અને ત્યારબાદ તેમના હાડપિંજર તેમજ નકામો કચરો મોડી રાત્રે ભોગાવો નદીમાં ફેંકી દેવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા એક તરફ ભોગાવો નદીને સ્વચ્છ રાખવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નદી અત્યારે કતલખાનાના કચરાનું કેન્દ્ર બની ગઈ છે. આ કચરાના કારણે નદીની આસપાસના રહેણાંક વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.જેના લીધે સ્થાનિક લોકોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે, સુરેન્દ્રનગરમાં કાર્યરત મોટાભાગના કતલખાનાઓ પાસે કોઈ કાયદેસરના લાયસન્સ નથી. ભૂતકાળમાં જે થોડા ઘણા લાયસન્સ આપવામાં આવ્યા હતા. તેમની એક્સપાયરી ડેટ ક્યારનીય પૂર્ણ થઈ ગઈ છે અને તે રીન્યુ પણ કરાયા નથી.

આમ છતાં, કોઈ પણ સરકારી પરવાનગી વિના રોજના હજારો પશુઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે કતલ માફિયાઓ બેફામ બન્યા છે. મોડી રાત્રે નદી કિનારે જ પશુઓની કતલ થતી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભોગાવો નદીના આસપાસના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ અવશેષો મળ્યા હોવાથી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

જીવદયાપ્રેમીઓએ માંગ કરી છે કે, પોલીસ ઉંડાણપૂર્વક અને કડક તપાસ કરે તો આ કાળા કારોબારમાં સંડોવાયેલા અનેક મોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ છે. તંત્ર દ્વારા આવા તમામ ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે અને પવિત્ર નદીને પ્રદૂષિત કરનારા ગુનેગારો સામે કડકમાં કડક નમૂનારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

User 3

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં 40,000 ખેડૂતો જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરી…

2 weeks ago