સુરેન્દ્રનગર શહેરના આયોજનબદ્ધ વિકાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ને વેગ આપવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્લમ રીહેબિલીટેશન સમિતિ (SRC)’ ની વિધિવત રચના કરવામાં આવી છે.
ગુજરાત ગંદા વસવાટ વિસ્તાર અધિનિયમ, 1973 અંતર્ગત રચાયેલી આ 9 સભ્યોની કમિટી શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા અને આધુનિક શહેરી સુવિધાઓ વિકસાવવા માટે પાયાનું કામ કરશે. આ સમિતિના ગઠનથી આગામી સમયમાં શહેરના આંતરમાળખાકીય વિકાસ અને આવાસ યોજનાઓને નવી ગતિ મળશે.
મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રતિષ્ઠિત બિલ્ડર એસોસિએશન CREDAI/NAREDCO ના પ્રતિનિધિ તરીકે લીંબડીના જાણીતા બિલ્ડર યતીનભાઈ દુબ્બલની વરણી કરવામાં આવી છે.
મોટા પ્રોજેક્ટ્સનો બહોળો અનુભવ ધરાવતા યતીનભાઈના સમાવેશથી નવી ટી.પી. (TP) સ્કીમોના અમલીકરણ અને આધુનિક ટાઉન પ્લાનિંગમાં શહેરને મોટો ટેકનિકલ ફાયદો થશે. આ કમિટીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, નિવાસી અધિક કલેક્ટર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ સમિતિ મુખ્યત્વે PMAY યોજના હેઠળ ઝૂંપડપટ્ટી વિસ્તારોનો પુનર્વિકાસ કરવા, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને નવી ટી.પી. સ્કીમોને આધુનિક ઢબે ડેવલપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સુરેન્દ્રનગરને સ્માર્ટ અને સુવિધાયુક્ત શહેર બનાવવાના લક્ષ્યાંક સાથે લેવાયેલા આ નિર્ણયથી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ નિમણૂકો બાદ શહેરના વિકાસ કાર્યોમાં વહીવટી પારદર્શિતા અને ઝડપ આવવાની પૂરી સંભાવના છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…