ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર ભરત રણછોડભાઈ મેવાડાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભરત મેવાડાએ કોમ્પ્લેક્સના માલિક પાસેથી દુકાનો ખરીદ્યા બાદ તેના પર બેંકમાંથી મોટી લોન લીધી હતી.
આ લોન ચાલુ હોવા છતાં તેણે અન્ય વેપારીઓને આ દુકાનો વેચી મારી હતી. બેંકની ઉઘરાણી અને દુકાનો સીલ થવાની પ્રક્રિયા શરૂ થતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
આ મામલે વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આરોપી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. ધ્રાંગધ્રા પોલીસે બાતમીના આધારે આખરે તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરી…