ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર ભરત રણછોડભાઈ મેવાડાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભરત મેવાડાએ કોમ્પ્લેક્સના માલિક પાસેથી દુકાનો ખરીદ્યા બાદ તેના પર બેંકમાંથી મોટી લોન લીધી હતી.
આ લોન ચાલુ હોવા છતાં તેણે અન્ય વેપારીઓને આ દુકાનો વેચી મારી હતી. બેંકની ઉઘરાણી અને દુકાનો સીલ થવાની પ્રક્રિયા શરૂ થતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
આ મામલે વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આરોપી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો. ધ્રાંગધ્રા પોલીસે બાતમીના આધારે આખરે તેની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી આ કૌભાંડમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…