ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો છે. ધ્રાંગધ્રાના ખારી શેરી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મેવાડા સાથે મિત્રતાનો દાવો કરીને આરોપી ભરતે પ્રસંગમાં પહેરવાના બહાને 17 તોલાનો સોનાનો પટ્ટો અને 10 તોલાનો ચેન મેળવ્યો હતો.
આ સિવાય હાથ ઉછીના પૈસાના નામે દિનેશભાઈનું ક્રેડિટ કાર્ડ મેળવી તેમાંથી 2 લાખ રૂપિયા પણ ઉપાડી લીધા હતા. લાંબો સમય થવા છતાં સોનાના ઘરેણા પાછા ન આપતા દિનેશભાઈએ તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી ભરત રણછોડ મેવાડાએ આ 27 તોલા સોનાના દાગીના સુરેન્દ્રનગરની બેંકમાં મૂકી ગોલ્ડ લોન લઈ લીધી હતી. વ્યાજ ન ભરાતા બેંક દ્વારા હવે આ સોનાની હરરાજી કરવાની નોબત આવી છે. આ અંગે ભોગ બનનારના માતા નાનીબેન મેવાડાએ ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરી…