લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર ઝમર અને દેદાદરા ગામના પાટીયા વચ્ચે પહોંચી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી.
કાર ચાલકે અચાનક કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર બેકાબૂ થઈને રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાને પગલે આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરીને કારમાં સવાર ચાલક અને એક નાની દીકરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં 2 લોકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરી…