Surendranagar

સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરી બની ‘દુવિધા કચેરી’: ધોમધખતા તાપમાં અરજદારો કલાકો સુધી રઝળ્યા

સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપરના રહીશોને સરકારી કામકાજમાં સુવિધા રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ સિટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ, હાલમાં આ કચેરી અરજદારો માટે સુવિધાને બદલે દુવિધાનું કેન્દ્ર બની ગઈ છે.

એપ્રિલ 2026 ની કાળઝાળ ગરમીમાં દૂર-દૂરથી આવતા અરજદારોને કચેરીમાં તાળા જોવા મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે જ્યારે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે મહેસૂલ તલાટીની કચેરી બંધ કરી કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાની બુમરાણ ઉઠી હતી.

સ્થાનિક રહીશો અને મહિલા અરજદારોએ આક્ષેપ કર્યો છે કે કચેરીના સમય દરમિયાન પણ કર્મચારીઓ પોતાની સીટ પર હાજર રહેવાને બદલે બહાર આંટાફેરા મારતા હોય છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ ન થતા મહિલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ ગંભીર બેદરકારીને પગલે અરજદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે કચેરીના સમયનું ચુસ્તપણે પાલન થાય અને કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહે તેવા કડક આદેશો આપવામાં આવે. સરકારી તંત્રની આ ઢીલી નીતિને કારણે સામાન્ય જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago