સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢ-નવાગામ રોડ પર આવેલી અંકિતા સિરામિક (Ankita Ceramic) ફેક્ટરીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલો સેનિટરીવેરનો લાખો રૂપિયાનો તૈયાર માલ (Stock) બળીને ખાખ થઈ ગયો છે. ઉદ્યોગકારોએ વિદેશ નિકાસ (Export) માટે સંગ્રહ કરેલો માલ નાશ પામતા મોટું આર્થિક નુકસાન થયું છે.
આગની તીવ્રતા એટલી વધુ હતી કે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ (Major Call) જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ થાનગઢ, ચોટીલા અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડ (Fire Brigade) ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short Circuit) હોવાનું અનુમાન છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સીરામીક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…