સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાનગઢ-નવાગામ રોડ પર આવેલી અંકિતા સિરામિક (Ankita Ceramic) ફેક્ટરીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલો સેનિટરીવેરનો લાખો રૂપિયાનો તૈયાર માલ (Stock) બળીને ખાખ થઈ ગયો છે. ઉદ્યોગકારોએ વિદેશ નિકાસ (Export) માટે સંગ્રહ કરેલો માલ નાશ પામતા મોટું આર્થિક નુકસાન થયું છે.
આગની તીવ્રતા એટલી વધુ હતી કે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ (Major Call) જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ થાનગઢ, ચોટીલા અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડ (Fire Brigade) ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short Circuit) હોવાનું અનુમાન છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સીરામીક ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…