સુરેન્દ્રનગર શહેરમાં આમ આદમી પાર્ટીના ચાર મુખ્ય નેતાઓ સામે કાયદાનો સકંજો કસાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. મહાનગરપાલિકાના અધિકારીઓને ધમકાવવા અને સરકારી ફરજમાં રૂકાવટ લાવવાના ગંભીર આરોપ હેઠળ શહેર પ્રમુખ કમલેશ કોટેચા, દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનરના પીએ દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તમામ નેતાઓને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, પોલીસ સમક્ષ હાજર થવાને બદલે આ ચારેય નેતાઓ હાલમાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, આ નેતાઓએ પોલીસ પાસે લેખિતમાં 7 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ તપાસ અધિકારીએ હજુ આ માંગણી સ્વીકારી નથી. નેતાઓએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હોવાથી પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. લોકપ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા નેતાઓ કાયદાના ડરથી ‘અંડરગ્રાઉન્ડ’ થઈ જતાં સ્થાનિક જનતામાં પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠી રહ્યા છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…