સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક આવારા તત્વોએ ગામના સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ત્યાં અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલો લાકડાનો આખો સ્ટોક સળગાવી દીધો હતો.
વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.
આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં લાકડા બળીને ખાખ થઈ જતાં અત્યારે અગ્નિસંસ્કાર માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ડાઘુઓને અંતિમ સંસ્કાર પૂર્વે લાકડાની વ્યવસ્થા કરવા માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ આ મામલે પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે અને સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ આવું હીન કૃત્ય કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…