સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કેટલાક આવારા તત્વોએ ગામના સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, ત્યાં અગ્નિસંસ્કાર માટે રાખવામાં આવેલો લાકડાનો આખો સ્ટોક સળગાવી દીધો હતો.
વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.
આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનમાં લાકડા બળીને ખાખ થઈ જતાં અત્યારે અગ્નિસંસ્કાર માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ડાઘુઓને અંતિમ સંસ્કાર પૂર્વે લાકડાની વ્યવસ્થા કરવા માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ આ મામલે પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે અને સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ આવું હીન કૃત્ય કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…