Surendranagar

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓનો આતંક: એક જ મહિનામાં 522 લોકોને બચકા ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ, કુલ 522 કેસ પશુ કરડવાના નોંધાયા છે.

જેમાં સૌથી વધુ રખડતા શ્વાન (Dog Bite) ના 464 કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં રખડતા ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે, જેમાં 15 જેટલા લોકોને ભૂંડે બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શેરીઓમાં રમતા નાના બાળકો ભૂંડનો ભોગ બની રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.

હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, શ્વાન અને ભૂંડ સિવાય ઉંદર, પાલતુ ગાય અને નોળિયા કરડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. સદનસીબે, સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

બીજી તરફ, મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાના સેનિટેશન વિભાગના જણાવ્યા મુજબ, રખડતા પશુઓને પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ એજન્સીએ રસ ન દાખવતા હવે રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે રખડતા શ્વાન અને ભૂંડને પકડવાની ઝુંબેશ શરૂ કરે જેથી નિર્દોષ નાગરિકો અને બાળકોને સુરક્ષિત કરી શકાય.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago